જૂનાગઢમાં જિલ્લા રોજગાર વિનિમયની કચેરી ખાતે આગામી ૨૮ જૂન ના રોજ ભરતી મેળો યોજાશે.

જૂનાગઢ

જિલ્લા રોજગાર વિનિમય કચેરી જુનાગઢ દ્વારા આયોજિત ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રના જુદા જુદા એકમ દ્વારા સેલ્સ પ્રોડક્શન સિક્યુરિટી ઇન્ચાર્જ ઓફિસ બોય તથા એડવાઈઝર કે મેનેજરની જગ્યા માટે ૨૧ થી ૩૫ વર્ષની વહી મર્યાદા ધરાવતા ગ્રેજ્યુએટ, ૧૨ પાસ, ૧૦ પાસ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગાર વાચ્છુઓ માટે ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા.૨૮ જુનના રોજ સવારે ૧૦ કલાકે કરવામાં આવશે.

ઇચ્છુક ઉમેદવારોએ જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ઉમેદવારો અનુબંધમ પેર્ટલ http://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકશે. વધુ માહિતી માટે જિલ્લા રાજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટે.નં ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)