જૂનાગઢમાં નવરાત્રી દરમિયાન લાઉડ સ્પીકર ફરિયાદ નિવારણ માટે પોલીસ અધિકારીઓની નિયુક્તી.

જૂનાગઢ, તા. 20 સપ્ટેમ્બર 2025 – આગામી 22 સપ્ટેમ્બર થી પ્રારંભ થનાર નવરાત્રી મહોત્સવ દરમિયાન રાત્રીના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકરના અયોગ્ય ઉપયોગ અંગે ફરીયાદો નિવારણ કરવા માટે જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા વિશેષ પોલીસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આયોજન અને હેતુ:

  • સમગ્ર જુનાગઢ જિલ્લામાં નવરાત્રી મહોત્સવ દરમિયાન પ્રાચીન/અર્વાચીન ગરબીઓના આયોજકો દ્વારા લાઉડ સ્પીકરનો સમયસર ઉપયોગ સુનિશ્ચિત કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર માઇકની પરમીટમાં દર્શાવેલ સમય મર્યાદા પછી લાઉડ સ્પીકર ચાલુ ન રાખવામાં આવે તે માટે પોલીસની દેખરેખ રાખવામાં આવશે.

  • ખાસ કરીને રાત્રીના 12.00 વાગ્યા (મધરાત) પછી લાઉડ સ્પીકરના ઉપયોગ સંબંધિત ફરિયાદો માટે નાગરિકો ઉપરોક્ત નિયુક્ત પોલીસ અધિકારીઓ સાથે સંપર્ક કરી શકશે.

નિયુક્ત પોલીસ અધિકારીઓ (ફરીયાદ નિવારણ માટે):

  • પો.ઈ. આર.કે. પરમાર – એ ડીવિઝન

  • પો.ઈ. એ.બી. ગોહિલ – બી ડીવિઝન

  • પો.ઈ. વી.જે. સાવજ – સી ડીવિઝન

  • પો.ઈ. એચ.કે. હુંબલ – ભવનાથ

  • પો.ઈ. એફ.બી. ગગનીયા – જૂનાગઢ તાલુકા

  • પો.ઈ. એસ.આઈ. સુમરા – ભેસાણ

  • પો.સ.ઈ. એચ.વી. ચૂડાસમા – બિલખા

  • પો.ઈ. પી.સી. સરવૈયા – મેંદરડા

  • પો.ઈ. એસ.એન. સોનારા – વિસાવદર

  • પો.ઈ. પી.એ. જાદવ – કેશોદ

  • પો.ઈ. આર.એ. ચૌધરી – વંથલી

  • પો.ઈ. એ.જી. જાદવ – માંગરોળ મરીન

  • પો.સ.ઈ. એસ.એ. સોલંકી – શીલ

  • પો.ઈ. એસ.આઈ. મંધરા – ચોરવાડ

  • પો.ઈ. એન.એમ. કાતરીયા – માળીયા હાટી

સંપર્ક વિગતો:

  • જૂનાગઢ જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમ: 0285-2630603 / 2632373 / 100 / 112

  • ઉપરોક્ત નંબર પર નવરાત્રી દરમિયાન રાત્રિના 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર ચાલુ રાખવા સંબંધિત ફરિયાદો નોંધાવી શકાશે.

ઉદ્દેશ: નાગરિકોની આરામદાયક અને શાંતિપૂર્ણ નવરાત્રી ઉજવણી સુનિશ્ચિત કરવા માટે આ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ