જૂનાગઢમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને એક જ મોબાઈલ નંબર ૨ થી વધુ ખેડૂતો દ્વારા ઉપયોગ કરેલ હોય તે અપડેટ કરવા અનુરોધ.

જૂનાગઢ

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને જણાવવાનું કે પ્રધાનમંત્રી કિસાન ડેટાબેઝમાં કેપ્ચર કરાયેલા ડેટાની હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે એક જ મોબાઈલ નંબર ધરાવતા માત્ર ૨ ખેડૂતોને જ મંજૂરી આપવામાં આવશે અને એક જ મોબાઈલ નંબર સાથે નોંધાયેલા બે થી વધુ ખેડૂતોને ૩૧/૦૮/૨૦૨૪ સુધીમાં તેમના મોબાઈલ નંબર અપડેટ કરવાના રહેશે બે થી વધુ મોબાઈલ નંબર ધરાવતા અને અપડેટ નહીં કરેલા ખેડૂતની સહાય બંધ કરવામાં આવશે. જેથી જે ખેડૂતોના મોબાઈલ નંબર બે થી વધુ ખેડૂતોએ ઉપયોગ કરેલ છે તે https://pmkisan.gov.in વેબસાઈટ પર Farmers corner >> Mobile number update મેનુમાં જઈ અપડેટ કરી શકાશે તેમજ આપના ગામના વિલેજ મોડલ ઓફિસર (VNO) મારફત પણ અપડેટ કરાવી શકાશે. જેથી ખેડૂતોને મળતો લાભ નિરંતર મળતો રહે. વધુ માહિતી માટે આપના ગામના તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક અને કિસાન કોલ સેન્ટર નં ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ સંપર્ક કરવો તેમ જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)