જૂનાગઢમાં ભવનાથ ખાતે ભારતી આશ્રમમા ગુરૂપૂર્ણિમાની ભવ્ય ઉજવણી થશે.

જૂનાગઢ તા.૧૫/૭. ગરવા ગીરનાર ની ગોદમાં ગુરૂદત્ત ગીરનારી મહારાજની પરમ કૃપાથી સદ્ગગુરૂ બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સ્વામીશ્રી વિશ્વંભર ભારતી બાપુ ની દિવ્ય ચેતનાને વંદન કરવા ભવ્ય ગુરૂપૂર્ણિમાનું આયોજન કરવામાં આવ્યુ છે. તો તમામ સેવકગણ તથા ભક્તજનોને સદ્ગગુરુ મહારાજની સમાધી પૂજન, પાદુકા પૂજન તથા ભજન સત્સંગ માં પધારવા સંસ્થા તરફથી ભાવભર્યુ આમંત્રણ છે.

સદગુરુ સમાધી પૂજન સવારે ૦૮:૩૦ કલાકે થી, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ સદ્ગગુરૂ સ્વામી શ્રી હરીહરાનંદભારતીજી મહારાજ પૂજન સવારે ૯-૩૦ કલાકે ભોજન-મહાપ્રસાદ બપોરે ૧૨:૦૦ કલાકે સંતવાણી,રાત્રે ૯:૩૦કલાક થી શ્રી પરેશદાન ગઢવી, મયુર દવે, તેજદાન ગઢવી, પિયુષ મિસ્ત્રી, રાજદાન ગઢવી, રવિન્દ્ર સોલંકી (લોક સાહિત્યકાર) તથા નામી અનામી કલાકારો સંતવાણી નો લાભ આપશે. તેમ શ્રી ભારતી આશ્રમ સેવક પરિવાર તથા લઘુમહંતશ્રી મહાદેવ ભારતી બાપુ શ્રી ભારતી આશ્રમ, ભવનાથ ની એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)