જૂનાગઢમાં મધુવંતી ડેમને કાંઠે ખોખી હનુમાન મંદિરના મહંત તરીકે ની ચાદર વિધિ કરવામાં આવી.

જુનાગઢ:

મેંદરડા તા.૧/૬ મેંદરડા તાલુકાના માલણકા ગામે આવેલ ખોખી હનુમાન મંદિરના મહંતશ્રી અવધબિહારીદાસ બાપુ બ્રહ્મલીન થતાં બાપુ નો ભંડારો કરીને ત્યાંના નવા મહંત તરીકે શ્રી બુદ્ધ દેવદાસજી અને કોઠારી શ્રી રામ કરણદાસજી ગુરુશ્રી રામદાસજી ની તા.30-5-2024 ને ગુરુવાર ના રોજ નિમણૂક કરવામાં આવી છે.

આ તકે મેંદરડાના ખાખી મઢી ના મહંતશ્રી સુખરામદાસ બાપુ તેમજ મહંત રામચરણ દાસ બાપુ તેમજ સાધુ સંતો મહંતો તથા જિલ્લા પંચાયત, જૂનાગઢના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર રાજકોટ થી જીતુભાઈ પટેલ તેમજ ખોખી હનુમાન મંદિર ના સેવકગણ તેમજ મેંદરડાના પીએસઆઇ શ્રી એસ એન સોનારા ના બંદોબસ્ત સાથે ચાદર વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)