જૂનાગઢમાં રામદેવજી મહારાજ યજ્ઞ મંડપના ધાર્મિક કાર્યની સાથે માનવસેવાકીય કાર્યની ઉજવણી કરાઈ.

જૂનાગઢઃ

જુનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના કુકસવાડા ગામે તા.૧૭.૦૫.૨૦૨૪ થી ૨૪.૦૫.૨૦૨૪ સુધી રામદેવજી મહારાજના યજ્ઞ મંડપનું ભવ્ય આયોજન કરવામાં આવેલ આ આઠ દિવસના ધાર્મિક પ્રસંગે આજુબાજુ વિસ્તારના અનેક ભાવિક ભક્તજનોએ આ ભક્તિરસનું ભાથું બાંધી ધાર્મિક કાર્યમાં સહભાગી થયેલ.

આ ધાર્મિક પ્રસંગે સમસ્ત કુકસવાડા ગામના યુવાનોએ પોતાના કામધંધા બંધ કરી અને આ સેવાયજ્ઞમાં પોતાનું યોગદાન આપેલ.આ ધાર્મિક કાર્યની સાથે સાથે વિજ્ઞાનને જોડી આ ગામના કાર્યકરોએ પ્રકૃતિ અને પર્યાવરણ જાળવણી અંગે પણ કાર્ય કરેલ. બહારથી આવેલ મહેમાનોને અગવડતા ન પડે તે માટે વિશાળ જગ્યામાં આ યજ્ઞ મંડપનું આયોજન કરેલ.લોકો દ્વારા ખાણી પીણીના લીધે થતા કાગળ અને પ્લાસ્ટિકના કચરાનો આ મંડપ સમિતી દ્વારા રોજે રોજ નિકાલ કરી સ્વચ્છતા અને પર્યાવરણ જાગૃતિ અંગે સ્વયંસેવકોએ ખુબ સારું આયોજન કરેલ.

મેળામાં રોજીરોટી માટે આવેલા ખાણી પીણી અને વસ્તુ વેચી પોતાનું ગુજરાન ચલાવે છે એવા લોકોને દરરોજ ભોજનની વ્યવસ્થા ફ્રીમાં કરી આપેલ.
દરરોજ મંડપના દર્શને આવતા લોકો માટે લાડુ અને ગાંઠિયાના પ્રસાદની વ્યવસ્થા કરી આપેલ.
આ રીતે આ મંડપના માધ્યમ થી સેવા ધર્મ અને ભક્તિની સાથે સાથે જીવદયા પ્રકૃતિનો સુમેળ પણ જોવા મળેલ છે.

રીપોર્ટર :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)