જૂનાગઢ, તા. ૩૦ મે:
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૫ હેઠળ જૂનાગઢ જિલ્લાના ૮૭-વિસાવદર વિધાનસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયા બાદ, ચૂંટણી પંચ દ્વારા સખ્ત માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
આ માર્ગદર્શિકા મુજબ, સ્થાનિક કેબલ નેટવર્ક, ટીવી ચેનલ, સિનેમા ગૃહો, AM/FM રેડિયો નેટવર્ક અને અન્ય ઇલેક્ટ્રોનિક માધ્યમો દ્વારા ચાલી રહેલા રાજકીય પ્રચાર અને જાહેરાતોનું નિયંત્રણ સખ્ત કરાશે.
જિલ્લા મેજિસ્ટ્રેટ અનિલ રાણાવસિયાએ જાહેરનામાં જણાવ્યું છે કે, સ્થાનિક તમામ ઇલેક્ટ્રોનિક પ્રસાર માધ્યમોએ પ્રસારિત દરેક પ્રચારનું ૨૪ કલાકની અંદર સવાલ ૧૦:૩૦ વાગ્યે કચ્છકક્ષાની મીડીયા સર્ટિફીકેશન એન્ડ મોનીટરીંગ કમિટી સચિવ અને નાયબ માહિતી નિયામકને રૂબરૂ સબમિટ કરવું પડશે. આ રેકર્ડની સિડી દ્વારા નિયંત્રણ અને નિયમોનું પાલન સુનિશ્ચિત કરાશે. જો જરૂરીયાત જણાય તો પૂર્વમાં પ્રસારિત સીડી પણ રજૂ કરવી પડશે.
જાહેરનામાં સ્પષ્ટ કરાયું છે કે, આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરનારાં વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-૧૯૫૧ અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ હુકમ ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારમાં હુકમની તારીખથી ચૂંટણી પૂરું થતાં સુધી અમલમાં રહેશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ