જૂનાગઢમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વાઘેશ્વરી મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ.

જૂનાગઢ

સમસ્ત બ્રહ્મ સમાજ, જુનાગઢ મહાનગર સિનિયર સિટીઝન મંડળ દ્વારા શ્રી કે ડી પંડ્યા, શ્રી હસુભાઈ જોષી,શ્રી મહેશ જોષી, શૈલેષ પંડ્યા ના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ ચેરમેનશ્રી દિલીપભાઈ ટીટીયા અને તેની ટીમ દ્વારા નવરાત્રિમાં તા.૮/૧૦/૨૦૨૪ ને મંગળવાર ના રોજ ગિરનાર રોડ ઉપર આવેલ પ્રસિદ્ધ “માં વાઘેશ્વરી માતાજી” ના મંદિરે ધ્વજારોહણ નો કાર્યક્રમ સવારે 9.15 થી 10 :00 કલાકે થશે જેમાં ધ્વજાજી નું પૂજન અર્ચન અને પરિક્રમા પછી ધ્વજારોહણ રાખવામાં આવેલ છે, આ ધાર્મિક કાર્યક્રમમાં પધારવા દરેક સિનિયર સિટીઝન સભ્યો ને હાર્દિક નિમંત્રણ છે,તમામ સભ્યો એ પોતાનું આઈકાર્ડ પહેરીને આવવું ફરજિયાત છે,

વધુ માહિતી માટે શૈલેષ પંડ્યા નો મોં. 98 98 333 918 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.આ આયોજન વાઘેશ્વરી ટ્રસ્ટી મંડળ ને આભારી છે તેમ જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)