જૂનાગઢમાં ” સૂર વિહાર ” નામની સંસ્થા નો થઈ રહ્યો છે ઉદય.

જૂનાગઢ

જૂનાગઢ ની સંગીતપ્રેમી જનતાને ને જણાવતાં આનંદ થાય છે કે, “સૂર વિહાર” નામની સંસ્થા આકાર પામી રહી છે તેના દ્વારા સંગીત ના શોખીનો માટે ( જેમાં ખાસ કરીને જૂના ફિલ્મી ગીતો) રજૂ કરવા દરેક ગાયક ને ચાન્સ આપવામા આવશે, તેમાં અચૂક પણે દ્વી માસિક સંગીત બેઠક ના પ્રોગ્રામ યોજવાનું આયોજન છે.

આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહી કાર્યક્રમ માણવા,સાંભળવા ઈચ્છુક સંગીત શ્રોતાઓનું સંસ્થા દ્વારા સ્વાગત છે.

હાલના સંજોગોમાં કોઈ પ્રવેશ શુલ્ક રાખવામા આવેલ નથી. તો આવા કાર્યક્રમ માણવાની ઈચ્છા ધરાવતા , રસ ધરાવતા સંગીત રસિકો ને સંસ્થા તરફથી વિનંતી છે કે મો. નં – 7567861239 વોટ્સએપ પર પોતાના નામ અને મોબાઈલ નંબર મોકલી નોંધણી કરાવી સહકાર આપવા વિનંતી, વધુમાં સભ્ય સંખ્યા મર્યાદિત જ રાખવાની હોય વહેલા તે પહેલા ના ધોરણે નોંધણી કરાવી ગીત સંગીત ને યાદગાર બનાવવા સહભાગી થવા સંસ્થા તરફથી જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)