જૂનાગઢમાં JCI-મહિલા સીટી દ્વારા વિદ્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમ

જૂનાગઢ

JCI-જૂનાગઢ મહિલા સીટી દ્વારા તા. ૧૪/૦૭/૨૦૨૪ ને રવિવારનાં રોજ બપોરબાદ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ ખાતે વિદ્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત અંદાજીત ૧૧૦૦ જેટલા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ભગીરથ કાર્ય જેસી અરવિંદ સોનીનાં માર્ગદર્શન હેઠળ જેસીઆઈ જૂનાગઢ મહિલા સીટી ના પ્રમુખ જેસી ભાવીશા દેકીવાડીયા, ડાયરેક્ટર જયશ્રીબેન વેકરીયા, ડાયરેક્ટર જેસી કેતન ચોલેરા, સેક્રેટરી જેસી હસમુખ મારવણીયા, જેસી સંગીતા સાવલિયા, જેસી ક્રિષ્ના હિન્શું, કેતનભાઈ અઘેરા વિગેરે દ્વારા હાથ ધરવામાં આવેલ,

વધુમાં JCI-જૂનાગઢ મહિલા સીટી દ્વારા તા. ૧૭/૦૭/૨૦૨૪ને બુધવારના રોજ સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી, સાઈબાબા મંદિર, ઝાંઝરડા રોડ તેમજ તા.૨૧/૦૭/૨૦૨૪ને રવિવારનાં રોજ જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ, ભવનાથ ખાતે સાંજે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી વિદ્યાદાન પ્રોજેક્ટ અંતર્ગત રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવશે તેમ ભાવીશા દેકીવાડીયા ની એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ‌)