જૂનાગઢમા સામાજિક જવાબદારી પર શોધ નિબંધ તૈયાર કરવામાં આવ્યો

જૂનાગઢ
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે તા.૭મી જૂન ૨૦૨૪ ના રોજ શ્રી ધવલભાઈ ઝાલા એ “ભારતમાં પસંદગીની ફાર્માસ્યુટિકલ કંપનીઓની સામાજિક જવાબદારીઓ પર વિશ્લેષણાત્મક અભ્યાસ” વિષય ઉપર પીએચ.ડી. ની ડીગ્રી હાંસલ કરી છે.
આ તકે મુખ્ય નિષ્ણાત તરીકે પ્રો. ડૉ. કૈલાસબેન પી. દામોર (પ્રોફેસર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ), માર્ગદર્શક, ડૉ. દિનેશ આર. ચાવડા, આસિ. પ્રો. તથા કોમર્સ વિભાગના વડા પ્રો. ડૉ. ભાવસિંહ ડોડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ડો. દિનેશ ચાવડા ને અભિનંદન પાઠવ્યા હતા.

અહેવાલ-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)