જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી, યોગ કોચ અશ્વિન રાવલ અને પારુલબેન ચૌહાણે આપ્યું માર્ગદર્શન

આજ રોજ, 21મી જૂને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025” ની ઉજવણી અંતર્ગત, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે વિશાળ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચોવટિયાના નેતૃત્વમાં આયોજીત કાર્યક્રમમાં વિવિધ વિભાગોના નિર્ધારિત અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો.

કાર્યક્રમમાં યુનિવર્સિટીના સંશોધન નિયામક ડૉ. એ.જી. પાનસુરીયા, વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ. એન.બી. જાદવ, કુલસચિવ ડૉ. વાય.એચ. ઘેલાણી, વિદ્યાર્થીઓના કલ્યાણ પ્રવૃત્તિઓના નિયામક ડૉ. આર.એમ. સોલંકી, IT સેલના નિયામક ડૉ. કે.સી. પટેલ, કાર્યપાલક ઇજનેર પ્રો. ડી.એસ. થાનકી તેમજ વિવિધ ફેકલ્ટીના આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા.

યોગ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગ કોચ શ્રી અશ્વિનભાઈ રાવલ (ગુજરાત યોગ બોર્ડ) અને યોગ ટ્રેનર શ્રીમતી પારુલબેન ચૌહાણે યોગાસન, પ્રાણાયામ અને શ્વાસ વ્યવસ્થાની ટેકનિક વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું. તેમણે યોગના ફાયદા તથા રોજિંદી જિંદગીમાં યોગ શામેલ કરવાના સરળ ઉપાયો પણ સમજાવ્યા.

વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ સહિત મોટી સંખ્યાએ યોગ અભ્યાસમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિમય, ઉત્ત્સાહભર્યો અને ઉત્તમ આયોજન સાથે પૂણ થયો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ