જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા “ગીર સાવજ” ચણા, જીરૂ અને ઘઉં (સર્ટીફાઈડ/ટ્રુથફુલ) બિયારણના વેચાણની ઓનલાઈન નોંધણી તા.૧૧ સપ્ટેમ્બર થી શરૂ થશે.

જૂનાગઢ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આગામી રવી-૨૦૨૪-૨૫ ઋતુમાં વાવેતર માટે ચણાની GJG-3, GG-5 અને GJG-6, જીરૂની GC-4 અને ઘઉંની Lok-1 અને GW-496 જાતોના સર્ટીફાઈડ/ટ્રુથફુલ બિયારણના વેચાણ માટેની ઓનલાઈન નોંધણી માટેની અરજી જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર તા.૧૧-૦૯-૨૦૨૪ થી તા.૨૪-૦૯-૨૦૨૪ સુધી કરવાની રહેશે. ખેડૂતમિત્રોએ બંને પાકમાંથી કોઈ પણ એક પાકનું એક જાતનું બિયારણ મેળવવા માટે અરજી કરવી એટલે કે જે ખેડૂતમિત્રએ જે પાક અને જાત માટે અરજી કરી હશે તેજ પાક અને જાતનું બિયારણ મળવાપાત્ર થશે. ખેડૂતમિત્રોની જેમની અરજી મંજુર થશે તેઓને અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઇલ નંબર ઉપર બિયારણના વેચાણ/વિતરણ અંગેની SMS થી જાણ કરવામાં આવશે. બિયારણનું વેચાણ મેગાસીડ, જૂનાગઢ ખાતેથી કરવામાં આવનાર છે. ખેડૂતમિત્રોએ કરેલ ઓનલાઈન અરજી મુજબ ચણામાં વધુમાં વધુ ૫ બેગ (૧૨૫ કિ.ગ્રા.) તથા જીરૂમાં ૫ બેગ (૧૦ કિ.ગ્રા.) અને ઘઉંમાં ૧૦ બેગ (૪૦૦ કિ.ગ્રા.) મુજબ મળવાપાત્ર થશે. વધુ માહિતી માટે ઓનલાઈન અરજી કરવા માંગતા ખેડૂતભાઈઓએ જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in પર જઈ બિયારણ મેળવવા માટેની ઓનલાઈન નોંધણીની અરજી કરતા પહેલા અરજી માટેની શરતોનો અભ્યાસ કરી લેવો. ખેડૂતમિત્રોએ ઓનલાઈન અરજીમાં રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર DND એક્ટીવ હશે તો તે ખેડૂતોને બિયારણ ખરીદીનો SMS મળતો નથી. તો જે ખેડૂતમિત્રોના મોબાઈલમાં આ સુવિધા હોય તો તેને દુર કરવી. ઘણી વાર નેટવર્ક પ્રોબ્લેમ કે અન્ય કોઈ કારણોસર પણ SMS મળતો નથી. તો તેના માટે થઈ ને જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in ઉપર અરજી મંજુર થયેલ ખેડૂતમિત્રોનું લીસ્ટ મુકવામાં આવે છે.

જેમાં આપનું નામ હોઈ અને મેસેજ મળેલ ન હોય તો તે લીસ્ટમાં જણાવેલ તારીખમાં બિયારણ લેવા આવી જવું. આમ, બિયારણ વિતરણ અને પાકના ભાવ સબંધિત માહિતી તેમજ ખેડૂતમિત્રોની મંજુર થયેલ યાદીનું લીસ્ટ જોવા માટે યુનિવર્સીટીની વેબસાઈટ www.jau.in દરરોજ જોતા રહેવી.વધુ માહિતી માટે બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢનો ફોન ૦૨૮૫-૨૬૭૨૦૮૦-૯૦ થી સંપર્ક કરવો. તેમ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)