જૂનાગઢ ખાતે નાથળીયા ઉનેવાળ બ્રહ્મ સમાજ દ્વારા એક દિવસીય નવરાત્રી નું આયોજન કર્યું

જૂનાગઢ

શ્રીનાથળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજ, જૂનાગઢ દ્વારા ફક્ત જ્ઞાતિજનો માટે ઘણા વર્ષોથી નવરાત્રી દરમ્યાન પ્રતિક એક દિવસ નો નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે, તે મુજબ ચાલુ વર્ષે તા.૫/૧૦/૨૪ ને શનિવારે રાત્રે ૭.૩૦ થી ૧૦.૩૦ સુધી જ્ઞાતિ ની વાડી, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાસોત્સવ નું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ રાસોત્સવમાં પ્રથમ કુળદેવી શ્રી કનકાઈ માતાજીની સ્તુતિ, આરતી, પ્રસાદ પછી બહેનો એ રાસ ગરબા ની રમઝટ બોલાવેલ તેમાં પુરુષો એ પણ રાસ લીધા હતા, બહેનો એ બેઠા ગરબાનો પણ આનંદ લુંટ્યો હતો,જ્યારે નાની બાળા કુ.માહી એસ. જોશી એ મહિષાસુર સ્તોત્રનું ગાન રજૂ કર્યુ હતું ત્યારે તાળીઓનાં નાદથી સૌએ બાળા ને પ્રોત્સાહિત કરેલ, અને છેલ્લે અલ્પાહાર કરી સૌ છુટા પડ્યા હતાં, આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ટ્રસ્ટી મંડળ એ જહેમત ઉઠાવી હતી તેમ સંસ્થાના મંત્રીશ્રી હિતેશભાઈ મોં.મહેતા એ એક યાદીમાં જણાવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)