જૂનાગઢ ખાતે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે કથાકારશ્રી મહાદેવભાઈ મહેતા સંગ સત્સંગ નું આયોજન.

જૂનાગઢ

સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન મહિલા પાંખ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે મહાદેવ સંગ સત્સંગ નું આયોજન છે જેમાં હિન્દુ સમાજ ની દીકરીઓને પશ્ચિમી સંસ્કૃતિ તરફ ઢળતી આજની પેઢી ને ધાર્મિકતા,આધ્યાત્મિકતા અને આપડા રીત રિવાજો ને પરંપરાઓ શા માટે છે તેના કારણો સાથે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક જાણકારી સાથે શાસ્ત્રોનું જ્ઞાન સમજાવવા માટે તા.૧૮/૮/૨૦૨૪ ના રોજ બપોરે ૪.૩૦ કલાકે.શ્રી ભુતનાથ મહાદેવ મંદિર સત્સંગ હોલ જૂનાગઢ ખાતે મુખ્ય વક્તા તરીકે જાણીતા કથાકાર ડો.મહાદેવપ્રસાદ મહેતા ( આંતર રાષ્ટ્રીય વક્તા) સાથે તથા ભુતનાથ મંદિરના મહંતશ્રી મહેશ ગીરીબાપુ ના આશીર્વચન સાથે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરી ને યુવા યુવતીઓને આ સત્સંગમાં ખાસ પધારવા સંસ્થા તરફથી નમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે

નોંધ- આ સત્સંગ ના અંતે પ્રશ્નોતરી રાખવામાં આવશે જેમાં દીકરીઓ કોઈપણ ધાર્મિક રીત રિવાજો કે પરંપરા ને લગતા જે પ્રશ્નોની મુંજવણ હશે તેનું ખુબ સુંદર રીતે નિરાકરણ થશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)