જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લોએજ ગામમાં તિરંગા યાત્રા નિકળી.

જૂનાગઢ

માંગરોળ તાલુકાના લોએજ ગામે ડો.વેજાભાઈ ચાંડેરા કન્વીનર જૂનાગઢ જિલ્લા ભાજપ શિક્ષક સેલ અને પ્રમુખ ચાંડેરા કોલેજ લોએજ/ દિવરાણા( ધાર) એ “હર ઘર ત્રિરંગા અભિયાન “અંતર્ગત બાઈક ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં માંગરોળ મામલતદાર રાજેશ પરમાર સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

યાત્રા દરમિયાન રહીજ ગામે આવેલ શહીદ વીર વિક્રમસિંહના સ્ટેચ્યુ એ પુષ્પાંજલિ અર્પણ કરેલ.
આ તિરંગા યાત્રામાં ભારતીય કિસાન સંઘના ગોવિંદભાઈ ચોચા, દેવસીભાઈ ચાંડેરા, રવિભાઈ નંદાણિયા સહીતના મહાનુભાવો, આગેવાનો કોલેજ સ્ટાફ મિત્રો વિધ્યાર્થીઓ મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ ઉપરાંત કોલેજ ખાતે સિંહ સંરક્ષણ અને સંવર્ધન થાય તેવા સંદેશા સાથે વિશ્વ સિંહ દિવસની પણ ઉજવણી કરવામાં આવેલ હતી તેમજ વિધાર્થીઓ ઘરે ત્રિરંગો લગાવી શકે તે માટે ત્રિરંગાનું વિતરણ પણ કરવામાં આવેલ હતું.

અહેવાલ :- પ્રકાશ લાલવાણી (માંગરોળ-જુનાગઢ)