જૂનાગઢ જિલ્લામાં જાહેર જગ્યાઓ પર સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનું ફરજિયાત કર્યું

જૂનાગઢ, તા. ૨૭ મે:
અમદાવાદમાં ભૂતકાળમાં બનેલા આતંકવાદી હુમલાઓ અને શહેરમાં વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને, જુનાગઢ જિલ્લાના વિવિધ એકમોમાં જ્યાં જાહેર જનતાની અવર-જવર વધારે હોય ત્યાં સી.સી.ટી.વી. કેમેરા લગાવવાનું ફરજિયાત કરાયું છે.

જૂનાગઢ પોલીસ અધિક્ષક તથા જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એ. જાડેજા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં હોટલ, લોજ, ધાબા, ગેસ્ટ હાઉસ, ધાર્મિક સ્થળો, શાળા-કોલેજો, શોપિંગ મોલ, ટોલ પ્લાઝા, પેટ્રોલ પંપ, બેંક, સિનેમાઘર સહિત અનેક જાહેર સ્થળોએ CCTV કેમેરા લગાવવાની ફરજિયાત જોગવાઈઓ મૂકવામાં આવી છે.

સાથે જ, કેમેરા દ્વારા ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રેકોર્ડિંગ સાચવવાનું અને ડી.વી.આર. સિસ્ટમને સુરક્ષિત રીતે અલગ લોકરમાં રાખવાનું સૂચન આપવામાં આવ્યું છે. આ સિવાય, મલ્ટીપર્પઝ થિયેટર, કોમર્શિયલ મોલ, મેળા તેમજ રોપ-વે જેવા સ્થળોએ મેટલ ડિટેક્ટર પણ ફરજિયાત રહેશે.

કેનડા/પેટ્રોલ પંપ માલિકો અને સિક્યુરિટી સંચાલકોને પણ ખાસ હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ પ્રમાણિત સિક્યુરિટી ગાર્ડ રાખે અને માલિકી બદલાતા જ પોલીસને જાણ કરે.

આ જાહેરનામું તાત્કાલિક અમલમાં લાવવામાં આવ્યું છે અને ૨૫ જુલાઈ ૨૦૨૫ સુધી અમલમાં રહેશે. તેનો ઉલ્લંઘન કરનારાઓ સામે BNSS, ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ