જૂનાગઢ જિલ્લામાં તા.૨૬ ઓગષ્ટ સુધી સભા સરઘસ અને હથિયારબંધી.

જૂનાગઢ

જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા તેમજ જાહેર સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૩૭ (૧) હેઠળ જૂનાગઢ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જે જૂનાગઢ જિલ્લાના સમ્રગ વિસ્તારમાં તા.૨૬ ઓગષ્ટ, ૨૦૨૪ સુધી અમલી રહેશે.

જિલ્લામાં સભા-સરઘસ હથિયારબંધી, છટાદાર ભાષણ આપવા અને કોઈપણ સ્ફોટક પદાર્થો લઈ જવા સહિતની બાબતો પ્રતિબંધિત રહેશે. આ ઉપરાંત વ્યક્તિઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પૂતળા દેખાડવાની, લોકોએ બૂમ પાડવાની, ગીતો ગાવાની તથા વાદ્ય વગાડવા મનાઈ છે. પથ્થરો કે ફેંકી શકાય તેવા શસ્ત્રો, યંત્રો, સાધનો સાથે લાવવા, એકઠાં કરવા કે તૈયાર કરવા નહિ. વ્યક્તિઓ અથવા તેના શબ કે આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા નહિ. સુરુચિ કે શાંતિ ભંગ થાય તેવા ભાષણ, હાવભાવ, ચેષ્ટા, ચિત્રો, પ્લેકાર્ડ, વસ્તુઓ-પદાર્થો કરવા નહિ,

આ ઉપરાંત જિલ્લામાં સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી કે પરવાનગી સિવાય કોઈ સભા મંડળી ભરવાની અથવા સરઘસ કાઢવાની તેમજ સંબંધિત તાલુકા એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટશ્રીની પૂર્વ મંજૂરી-પરવાનગી સિવાય લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે.

ફરજ પર રોકાયેલા હોય તેવા પોલીસ જવાનો તથા હોમગાર્ડ સહિતના તમામ સરકારી અને અર્ધ સરકારી અધિકારી-કર્મચારીને કે શારીરિક અશક્ત વ્યક્તિઓ અને રોજિંદા કામ માટે ઓજારો સાથે હોય તેને આ હુકમ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ કલમ-૧૩૫(૧) અન્વયે સજા અને દંડપાત્ર છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)