જૂનાગઢ,તા.૧૭ જૂનાગઢ જિલ્લામાં પોષણ પખવાડિયા અન્વયે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામ ઓફિસર વત્સલાબેન દવે દ્વારા માણાવદર ઘટકના કતકપરા-૧ તથા ૨ આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરવામાં આવી હતી.જેમા પોષણ પખવાડિયાની થીમ વાઈઝ ઉજવણી સંદર્ભે આંગણવાડી કેન્દ્ર ખાતે મમતા દિવસ ની ઉજવણી તથા મહિલા મીટીંગ તેમજ આરોગ્ય તપાસનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું.
આંગણવાડી ખાતેના બાળકોના વજન-ઉંચાઈ તથા ગ્રોથ મોનીટરીંગનું ક્રોસ વેરિફિકેશન, આંગણવાડી ખાતે આપવામાં પૂરક પોષણની ગુણવત્તાની ચકાસણી, પૂર્વ પ્રાથમિક શિક્ષણની કામગીરીનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ. તેમજ રસોડાની સ્વચ્છતા તેમજ હાઇજીન વિશે આંગણવાડી કાર્યકર તથા હેલ્પરને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ