જૂનાગઢ:
જૂનાગઢ જિલ્લામાં તા. ૨૬ થી ૨૮ જૂન ૨૦૨૫ દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના નિર્દેશ મુજબ આ મહોત્સવમાં “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” ની થીમને આધારે જિલ્લાભરમાં મોટી ઉત્સાહભરી ઉજવણી થશે.
📌 મુખ્ય વિગતો:
-
બાળવાટિકા: ૮૦૬૯ બાળકોનો પ્રવેશ
-
ધોરણ ૧: ૯૦૭૨ ભૂલકાઓનો પ્રવેશ
-
ધોરણ ૯: ૯૮૬૭ કુમાર કન્યાઓનો પ્રવેશ
-
ધોરણ ૧૧: ૧૨૭૩૮ વિદ્યાર્થીઓનો પ્રવેશ
-
કુલ લાભાર્થી બાળકો: અંદાજે ૩૯,૦૦૦
🚩 શાળા પ્રવેશોત્સવ માટે:
-
જિલ્લાભરમાં કુલ ૭૧ રૂટ નકકી કરવામાં આવ્યા છે.
-
શાળા પ્રવેશોત્સવ દરમિયાન વિવિધ શાળાઓમાં પદાધિકારીઓ, ધારાસભ્ય, સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ હાજરી આપશે.
-
ખાસ કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા વધુ ધ્યાન આપવામાં આવશે.
✅ કાર્યક્રમનો ઉદ્દેશ:
-
એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મુખ્ય ધ્યેય સાથે સમગ્ર જિલ્લા માટે વ્યાપક આયોજન.
-
સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ શાળા પ્રવેશોત્સવને “સમાજોત્સવ”ના સ્વરૂપમાં ઉજવવાનો પ્રયાસ.
📝 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ