જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા. ૨૧ મેના ભરતી મેળો યોજાશે!

જૂનાગઢ,તા. ૧૯ જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ જી.એમ.વાલ્વ પ્રા.લી. મેટોડા, રાજકોટ બોનાન્ઝા લક્સ સલૂન રાજકોટ, તથા કમ્ફર્ટ ક્રેઇન એન્ડ ફેબ્રિકેશન, કંપની ખાતે ટ્રેઇની એન્જિનીયર, વેલ્ડર, ઇલેક્ટ્રીશીયન, વાયરમેન, હેલ્પર, બેકઓફિસ સેલ્સ એન્ડ માર્કેટીંગ એક્ઝ્યુકેટીવ, બ્યુટીસીયન, હેર ડ્રેસર, હાઉસકિપીંગ સ્ટાફની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે ભરતી મેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢ દ્વારા SBI ગ્રામિણ સ્વરોજગાર તાલીમ સંસ્થા, જિલ્લા શીક્ષણ અને તાલીમ ભવનની બાજુમા, બિલખા રોડ, જૂનાગઢ, (SBI RSETI) ખાતે તા.૨૧/૦૫/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૩૦કલાકે કરવામાં આવેલ છે.
ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર ૦૨૮૫- ૨૬૨૦૧૩૯ પણ સંપર્ક કરી શકો છો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ