જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૦ સપ્ટેમ્બરના યોજાશે ભરતી મેળો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના એકમ વિનય ઇન્ડસ્ટ્રીઝ તથા સી.આઇ.ઇ ઓટોમોટીવ ઇન્ડિયા લી. એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ માર્કેટીંગ/સેલ્સ એક્ઝુકેટીવ, મિકેનીક, ઇલેક્ટ્રીક, ફિટર, સીક્યુરીટી ગાર્ડ તથા મશીન ઓપરેટરની જગ્યાઓ માટે ૧૮ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી. એચ.એસ.સી., આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતક ની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા.૧૦ સપ્ટેમ્બર,૨૦૨૪ને મંગળવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી-વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)