જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વાર તા.૧૯ સપ્ટેમ્બરના યોજાશે ભરતીમેળો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓ માટે જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાનગી ક્ષેત્રના એકમ ચોક્સી વછરાજ મકનજી એન્ડ કંપની(સી.વી.એમ.), એસ.બી.આઇ. લાઇફ ઇન્યુરન્સ કંપની તથા રીલાયન્સ નિપ્પોન લાઇફ ઇન્સ્યુરન્સ કંપની એકમમાં ભરતી હેતુ ખાલી પડેલ એક્ઝ્યુકેટીવ પ્રોડક્શન, લાઇફ મીત્ર, સીડિએ/એડવાઇઝર કે મેનેજરની જગ્યાઓ માટે ૨૦ થી ૪૫ વર્ષની વયમર્યાદા તેમજ ખાલી જગ્યાને અનુરૂપ એસ.એસ.સી., એચ.એસ.સી., આઇ.ટી.આઇ. ડિપ્લોમા, સ્નાતક કે અનુસ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગારવાંચ્છુઓ માટે તા.૧૯ સપ્ટેમ્બર,૨૦૨૪ને ગુરુવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, બી-વીંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે.

ભરતીમેળામાં ભાગ લેનાર ઉમેદવારોએ, શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત રહેવું. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર (૦૨૮૫) ૨૬૨૦૧૩૯ પર સંપર્ક કરવો, તેમ જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)