જૂનાગઢ તાલુકા (શહેર) નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ જુનના યોજાશે.

જૂનાગઢ તાલુકા (શહેર) નો સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૬ જુનના યોજાશે.

જૂનાગઢ

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં જૂનાગઢ તાલુકા(શહેર) માટે તા.૨૬-૦૬-૨૦૨૪ સવારે ૧૧ કલાકે મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ કચેરી, તાલુકા સેવા સદન, સરદારબાગ જૂનાગઢ ખાતે યોજાશે.

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા ગ્રામ્યકક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયત તલાટીકમમંત્રી, ગ્રામસેવકને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, આ કાર્યક્રમ માં રજૂ થતાં પ્રશ્નો ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએ, આ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશે, સામુહિક રજૂઆતો નહિ થઇ શકે તે પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે તથા મુદ્દત બાદ ની અરજીઓ, અસ્પ્ષ્ટ રજૂઆતવાળી અરજીઓ, કચેરી ના એક કરતા વધુ વિભાગીય પ્રશ્નો, સુવાચ્ય ન હોય તેવી અરજીઓ, નામસરનામા વગરની અરજીઓ, વ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓ, નીતિ વિષયક પ્રશ્નો, ચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નો, કોર્ટ મેટર, દિવાની પ્રકારની ખાનગી તકરારો, અપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓ, અરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નો, અરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન તથા અગાઉના સ્વાગત કાર્યક્રમ માં રજૂ થયેલ પ્રશ્નો આ કાર્યક્રમમાં અરજીઓ રજૂ થઇ શકશે નહી તેમ જૂનાગઢ(શહેર) મામલતદારની અખબારી યાદીમાં જણાવાયું છે

 

અહેવાલ – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)