સ્વસ્થ નારી-સશક્ત પરિવાર અભિયાન અને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ભેંસાણ ખાતે સર્વ રોગ આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. ભેંસાણ શહેર તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના ૨,૯૦૦ થી વધુ નાગરિકોે આ કેમ્પનો લાભ લીધો.
આ આયોજનોનું મુખ્ય ઉદ્દેશ લોકોને આયુષ્ય અને આયુર્વેદથી થનારી આરોગ્ય સેવાઓ અંગે જાગૃતિ આપવી અને પોષણમાહ ૨૦૨૫ના સંદર્ભે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોના આરોગ્યનું સર્વાંગી નિદાન કરવું હતું.
કેમ્પમાં મળેલ સેવા વિતરણની વિગત:
સ્ત્રી રોગ નિદાન: ૧૧૨ લાભાર્થી
બાળ રોગ નિદાન: ૩૮ લાભાર્થી
જરા ચિકિત્સા (Gerontology): ૯૬ લાભાર્થી
આરોગ્ય માર્ગદર્શન: ૪૬૦ લાભાર્થી
પ્રદર્શન કાર્ય: ૪૮૦ લાભાર્થી
ધાર્મ્ય મિશ્રેલા પાનક (પોષણ આધારિત વાનગીઓ): ૪૫૦ લાભાર્થી
સંશમની વટી (Herbal Medicine) ૨૩૦ લાભાર્થી
આયુર્વેદ યોગ: ૨૩૦ લાભાર્થી
આરોગ્ય પત્રિકા વિતરણ: ૨૭૦ લાભાર્થી
પ્રકૃતિ પરિક્ષણ: ૮૫ લાભાર્થી
નાડી પરિક્ષણ: ૨૮ લાભાર્થી
કુલ મળેલ લાભાર્થીઓની સંખ્યા: ૨,૯૧૫
અદ્યતન કામગીરી:
કેમ્પમાં જિલ્લા મેડિકલ ઓફિસર અને આયુષ્ય-યોગ શિક્ષકો દ્વારા આરોગ્ય ચકાસણી, આયુર્વેદિક ઉપચાર અને માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું. જિલ્લા આયુર્વેદ અધિકારી, ડો. છાયાબેન ડેરના માર્ગદર્શન હેઠળ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયું.
વિશેષ ઉપસ્થિતિ:
જિલ્લા અને તાલુકા પદાધિકારીઓ
જિલ્લા પંચાયત સદસ્ય લાભુબેન ગુજરાતી
તાલુકા પંચાયત પ્રમુખ ગાંડુભાઈ કથીરિયા
માર્કેટયાર્ડ ચેરમેન
સામાજિક અને રાજકીય આગેવાનો
તલુકા હેલ્થ ઓફિસર ડો. એ.એમ.એસ. અલી અને આરોગ્ય સ્ટાફ
ઉલ્લેખનીય છે કે, આ કેમ્પ હેઠળ લોકોને આયુર્વેદિક સારવાર સાથે જ પોષણ, યોગ અને આરોગ્ય જાગૃતિ બાબત વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનાથી ગ્રામ્ય અને શહેરી નાગરિકો બંને લાભાન્વિત થયા.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ