જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રૂ.૬૧ કરોડના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ, ૧૬૨ નવા કર્મચારીઓને નિમણુંક પત્ર અપાયા

જૂનાગઢ મહાનગરપાલિકાએ ગુજરાતના શહેરી વિકાસના 20 વર્ષ પૂર્ણ થવાના હર્ષ પ્રસંગે વિશાળ કાર્યક્રમ યોજ્યો હતો. રાજ્યના કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે જુનાગઢ શહેરના રૂ.61 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ પ્રસંગે સીધી અને પારદર્શક ભરતી પ્રક્રિયા દ્વારા પસંદ થયેલા 162 કર્મચારીઓને વિવિધ 21 કેડરમાં નિમણૂક પત્રો એનાયત કરાયા. સાથે સાથે શ્રેષ્ઠ સફાઈ કામગીરી માટે વોર્ડવાઈઝ પસંદ કરાયેલા સફાઈ કર્મચારીઓને રૂ.10,000નાં પ્રોત્સાહનચેક આપી સન્માનિત કરવામાં આવ્યા.
પ્રધાનમંત્રી આવાસ યોજના, અમૃત મિશન, ભવનાથ વિસ્તારના તળાવ વિકાસથી માંડીને શહેરમાં પીવાનું પાણી અને ગટર લાઈનોના સુધારણા જેવા કામો માટે મોટા પ્રમાણમાં અનુદાન ફાળવાયું છે.
કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી ફિલ્મ દ્વારા છેલ્લા 20 વર્ષનાં વિકાસનું વિઝ્યુલ રિપ્રેઝન્ટેશન પણ કરવામાં આવ્યું.
મેયર, સાંસદ, ધારાસભ્ય, કોર્પોરેટરો અને અનેક વિશિષ્ટ મહેમાનોની ઉપસ્થિતિએ શોભા વધારી હતી.
કાર્યક્રમ અંતે મામલતદાર દ્વારા વૃક્ષારોપણ અને આગામી આયોજન અંગે સંકેત આપાયો.
આ કાર્યક્રમથી જૂનાગઢના શહેર વિકાસ યાત્રામાં નવો अध्यાય ઉમેરાયો છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ