જૂનાગઢ રાણાવાવ ખાતે બુહેચા પરિવારના સતીઆઈ માતાજીના મંદિરે યોજાયેલ શાંતિ યજ્ઞ સંપન્ન થયો.

જૂનાગઢ

જૂનાગઢ તાજેતર માં પોરબંદર જિલ્લાના રાણાવાવ ગામ ખાતે આવેલ બુહેચા પરિવારના સતી આઈ માતાજીના મંદિરે શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ, જામનગર જામખંભાળિયા,પાનેલી,જુનાગઢ, ભાવનગર, વડોદરા, કાલાવડ, મીતી, રાણાવાવ, પોરબંદર, વેરાવળ, કેશોદ, અમદાવાદ સહિત વિદેશથી પણ બુહેચા પરિવારના ગોઠીઓ પધારેલા હતા.

સમગ્ર ભારત તેમજ વિદેશ થી પધારેલ બુહેચા પરિવાર..

આ તકે શ્રી જીવનભાઈ બુહેચા, શ્રી ભુપતભાઈ બુહેચા, શ્રી કરસનભાઈ બુહેચા, શ્રી કાનજીભાઈ બુહેચા,લીલાભાઈ બુહેચા, જતીનભાઈ, સાગરભાઇ ને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ. આ શાંતિ યજ્ઞમાં ડૉ.કમલેશભાઈ અશોકભાઈ, અશ્વિનભાઈ, દિલીપભાઈ, હરેશભાઈ, વિમલભાઈ, મોહનભાઈ, નીરજભાઈ, કિશોરભાઈ, સુધીરભાઈ, સંજયભાઈ, ઉદયભાઇ, ધનજીભાઈ, જીતેશભાઈ, અરવિંદભાઈ, પ્રફુલભાઈ, જતીનભાઈ, મુકેશભાઈ સહિત બુહેચા પરિવારના ૩૦૦ જેટલા સભ્યોએ હાજર રહીને આ શાંતિ યજ્ઞનો અને ભોજન પ્રસાદનો લાભ લીધો હતો.

અહેવાલ -નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ