જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખશ્રી જયંતિભાઈ રામોલિયાની ભાવનગર રેલ્વે સલાહકાર બોર્ડમાં નિમણૂક થતા ખૂબ ખૂબ અભિનંદન હાર્દિક શુભેચ્છા.

જેતપુર

તાજેતરમાં વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝન દ્વારા ડીઆરયુસીસીની નવી કમીટીની રચના થતા વેસ્ટર્ન રેલ્વે ભાવનગર ડિવિઝન દ્વારા જેતપુરના પ્રતિનિધિ તરીકે જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનના પ્રમુખશ્રી જયંતિભાઈ રામોલિયાની નિયુક્તી કરવામાં આવેલ છે. પ્રમુખશ્રી જયંતિભાઈ રામોલિયાની નિમણુંક થતા જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની કારોબારી કમીટી તથા જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ના સર્વે કારોબારી સભ્યોએ અભિનંદન પાઠવેલ છે.તેમજ જેતપુરના ધારાસભ્યશ્રી જયેશભાઈ રાદડીયા દ્રારા જયંતિભાઈ રામોલિયા ને ખૂબ ખૂબ અભિનંદન હાર્દિક શુભેચ્છા પાઠવેલ છે. અને સર્વે સભ્યો એ વિશ્વાસ વ્યક્ત કરેલ છે કે જેતપુર – નવાગઢ રેલ્વે સ્ટેશનને લગતા પ્રશ્નોનું નિરાકરણ થાશે.

શ્રી જયંતિભાઈ રામોલીયા દ્વારા ડીઆરયુસીસીની પ્રથમ મીટીંગ તા.૧૭-૧૦-૨૦૨૪,ગુરુવારના રોજ ભાવનગર ડિવિઝન ખાતે મીટીંગમાં હાજરી આપીને અને નવાગઢ રેલ્વે સ્ટેશન ખાતે જબલપુર ટ્રેઈનને સ્ટોપેજ માટે અને જેતપુર રેલ્વે સ્ટેશન ખાતે બાંદ્રા ટર્મિનસ ટ્રેઈનને અને બનારસ ટ્રેઈનને સ્ટોપેજ માટેની રજુઆત ડિવિઝન રેલ્વે મેનેજર સમક્ષ કરેલ અને તેઓએ આ અંગે યોગ્ય કરવા ખાત્રી આપેલ છે.

અહેવાલ:- કરન સોલંકી (જેતપુર)