જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામે 18 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

રાજકોટ:
જેતપુર તાલુકાના થાણાગાલોળ ગામમાં રહેતા 18 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ પોતાની જીવનયાત્રા સમાપ્ત કરી હોવાની દુખદ ઘટના સામે આવી છે.

મૃતક યુવક ઉત્સવ વિસાવેલીયાએ પરિવારજનોના ગેરહાજરી દરમિયાન પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ગ્રામજનો દ્વારા આપઘાતગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ તબીબોએ યુવાનને મૃત જાહેર કર્યો હતો.

હાલ આપઘાતનું સાચું કારણ અકબંધ છે. પરિવારજનો અને નજીકના લોકોએ પણ કોઈ સ્પષ્ટ કારણ જણાવી શક્યું નથી. ઘટના અંગે જેતપુર તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના ગામમાં શોકની લાગણી છોડી ગઈ છે અને આસપાસના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

રિપોર્ટર: વિમલ સીસોઢયા, રાજકોટ