જેતપુર પાસેના લીલાખા પાસે આવેલ ભાદર 1 ડેમ સતત ઓવરફ્લો નીચાણવાળા 22 ગામોને એલર્ટ પર.

જેતપુર

રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદ ધોધમાર પડી રહ્યો છે આ વચ્ચે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. તેમાં લીલાખા પાસે ભાદર ડેમમાં ગઈ કાલે પાણીની સપાટી 34 ફૂટે પહોંચી જતા 9 કલાકે ડેમ ઓવરફ્લો થયો હતો.

જેતપુર નજીક આવેલ લીલાખા પાસે આવેલ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમકે જેની ઓવરફ્લો થવાની સમગ્ર સૌરાષ્ટ્ર આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે અંતે ગઈ કાલે સાંજે ઉપરવાસમાં વરસાદ પડતાં જ ડેમમાં પાણીની આવક થતાં ડેમમાં પાણીની સપાટી 34 ફૂટે પહોંચી જતા. ડેમમાં પાણીની આવક થતાં. રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હતું. રાત્રે 9:00 કલાકે ડેમના 10 દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા હતા ત્યારબાદ સવાર પડતા ડેમના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક હોય જેથી 26 દરવાજા 6 ફૂટ ખોલાયા હતા.નીચાણ વાળા વિસ્તારોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા હતા.હાલ આ લખાય રહ્યું છે ત્યારે ડેમના ઉપરવાસમાં સતત વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે ડેમમાં પાણીની રૂલ લેવલ જાળવવા પાણી આવક ઈનફ્લો 18343 ક્યુસેક થઈ રહી હોઈ જેથી ડેમમાં
આઉટફ્લો 18343 ક્યુસેક પાણી
10 દરવાજા છ ફૂટ ખોલવામાં આવેલ છે.જેથી ભાદર નદી ગાડીતુર જોવા મળી રહી છે.

22 જેટલા ગામોને એલર્ટ કરાયા

ભાદર – 1 ડેમ નીચે ગોંડલ તાલુકાના લીલાખા, મસીતાળા, ભંડારીયા, ખંભાલીડા, નવાગામ, જેતપુર તાલુકાના મોણપર, ખીરસરા, દેરડી, જેતપુર, નવાગઢ, રબારીકા, સરધારપુર, પાંચપીપળા, કેરાડી લુણાગરા, લુણાગરી, વાડસડા, જામકંડોરણા તાલુકાના તરવડા, ઈશ્વરીયા, ધોરાજી તાલુકાના વેગડી, ભૂખી, ઉમરકોટ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા

ભાદર ડેમ ઈ.સ .1954મા 454.75 લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ 34 ફૂટની ઉંચાઈ અને 29 દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા 6648 MCFTની છે. છેલ્લાં ઘણા વર્ષથી અડીખમ ઊભેલ આ ડેમ અત્યાર સુધીમાં 27 વખત ઓવરફ્લો થયો છે. આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરુ પાડવામાં આવે

ગત વર્ષે ભાદર-1 ડેમમાંથી ખેતીને સિંચાઇ માટે પાણી આપવામાં આવ્યું હતું. જેમાં 6 રવિ પાક, 2 ઉનાળુ પાક અને 2 કોરવાણ માટે આપ્યા હતા. દરરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 એમ.જી.ડી. (મિલિયન ગેલન પર ડે), (રાજકોટ) રૂડા 1 એમ.જી.ડી, અને જેતપુર શહેર 3.40 એમ.જી.ડી. આ ઉપરાંત ખોડલધામ અને અમરનગર જૂથ યોજના અંતર્ગત 0.93 એમ.જી.ડી પાણી ભાદર ડેમમાંથી દરરોજ ઉપાડે છે.

આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર ખોડલધામ જૂથ યોજના, વીરપુર સહિત 22 લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આમ તો સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની 78 km લંબાઇ ધરાવતી મેઈન કેનાલ દ્વારા 46 ગામોની 36,842 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

જેતપુર અને રાજકોટને પાણી પૂરું પાડતાં ભાદર -1 ડેમના નિર્માણનું કાર્ય 1952મા શરૂ થયું હતું. 1964માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે. સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામકંડોરણા, જૂનાગઢ અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.

અહેવાલ :- કરણ સોલંકી (જેતપુર)