જેસીઆઈ,જુનાગઢ દ્વારા વૃક્ષના રોપાનું વિનામૂલ્ય વિતરણ તથા રાહત દરે નોટબુક વિતરણ નું આયોજન.

જૂનાગઢ

ગ્લોબલ વોર્મિંગના કારણે આખા વિશ્વમાં અલગ અલગ પ્રકારે કુદરતી આફતો આવી રહી છે તેના નિવારણ માટે સરકાર દ્વારા આપેલ સ્લોગન “એક વૃક્ષ માં-કે નામ” માં ઉમેરો કરી “અનેક વૃક્ષ આપ કે નામ” ના અંતર્ગત વૃક્ષના રોપા જેવા કે તુલસી, ફૂલ, ફળ, અને આયુર્વેદિક રોપાનું વિનામૂલ્યે વિતરણ તા.02/07/2024 ને મંગળવારે સવારે,9:00 થી 12:00 અને સાંજે 4:00 થી 7:00 ઇગલ એસ્ટેટ, ગણપતિજી ના મંદિરે, વડાલ રોડ,જુનાગઢ ખાતે કરવાનું જેસીઆઈ,જુનાગઢ દ્વારા આયોજન કરવામાં આવેલ છે.

ઉપરાંત માં રાહત દરે ચોપડા વિતરણ કાર્ય પણ સાથોસાથ રાખવામાં આવેલ છે તો વૃક્ષપ્રેમી તથા વિધાર્થીઓને અચુક લાભ લેવા સંસ્થા તરફથી જણાવવામાં આવેલ છે.

અહેવાલ:- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)