જૂનાગઢ, 31 મે 2025 –
જેસીઆઈ જુનાગઢ દ્વારા છેલ્લા 15 વર્ષથી વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા અને સસ્તા ફુલસ્કેપ નોટબુક વિતરણ કરવામાં આવી રહી છે. આ વર્ષે આ સેવા પ્રવૃત્તિનું પ્રારંભ સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક પૂજ્ય ઋષિકેશ સ્વામીજી અને જય નારાયણ સ્વામીજી દ્વારા આઝાદ ચોક ખાતે કરવામાં આવ્યું.
પૂજ્ય ઋષિકેશ સ્વામીજીએ જેસીઆઈની આ સેવા પ્રવૃત્તિની પ્રશંસા કરી અને સભ્યોને શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યો. કાર્યક્રમમાં ભાજપ શહેર પ્રમુખ ગૌરવ રૂપારેલીયા, GTPL ન્યૂઝના સંજીવ મહેતા, ડૉ. પૂજા ટાંક, ડૉ. જય રાણીંગા સહિતના અગ્રણી સામાજિક નેતાઓએ આ કાર્યને બિરદાવ્યું.
આ વિતરણ કાર્યક્રમના અંતર્ગત કે.ડી. જ્વેલર્સ (રાણાવાવ ચોક) અને અશ્વિન કાપડના શોરૂમ (હનુમાન મંદિર પાસે) પર રોજ સવારે 10:30 થી બપોરે 1 અને બપોરે 4:30 થી રાત્રે 8 વાગ્યા સુધી નોટબુક વિતરણ થશે.
આગામી 6 અને 7 જૂનના શુક્રવાર અને શનિવારના રોજ આઝાદ ચોક ખાતે સવારે 10 થી સાંજ 7 સુધી આ વિતરણ ફરીથી યોજાશે.
જેસીઆઈના મેન્ટર અરવિંદભાઈ સોની અને સભ્યોએ આ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
અહેવાલ : નરેન્દ્ર દવે અને જગદીશ યાદવ, જુનાગઢ