જેસીઆઈ જુનાગઢ દ્વારા વૃક્ષના રોપા નો વિનામૂલ્ય વિતરણ નો કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

ગત તારીખ 09/07/2024 ના રોજ જૂનાગઢ માં ઇગલ એસ્ટેટ ખાતે આવેલા ગણપતિજીના મંદિરે 600 જેટલા વૃક્ષના રોપાનું વિનામૂલ્ય વિતરણ તથા રાહતદરે ચોપડા વિતરણ કરવામાં આવ્યું.આ કાર્યક્રમમાં જેસીઆઈ જુનાગઢ ના પ્રમુખ જેસી ચિરાગ કડેચા, મેન્ટર જેસી અરવિંદભાઈ સોની, ડાયરેક્ટર જેસી કિશોર ચોટલીયા, જેસી પાર્થ પરમાર, જેસી વિરલ કડેચા દ્વારા જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તથા ઇગલ એસ્ટેટ ના પરિવારે પણ ખૂબ જ સારો સહયોગ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં જૂનાગઢના મહાનુભાવો મેયર શ્રીમતી ગીતાબેન પરમાર,ડેપ્યુટીમેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,સત્યમ સેવા યુવક મંડળ ના મનસુખભાઈ વાજા, બટુક બાપુ, નાગદાનભાઈ વાળા,પુરોહિતભાઈ, પ્રકાશભાઈ ચૌહાણ,મીનાબેન ચૌહાણ, હીનાબેન ચૌહાણ તથા જયેશભાઈ મનાણી, વિનુભાઈ ચાંદેગરા ભાવનાબેન વ્યાસ,આરતીબેન વાઘેલા, મીતાબેન મહેતા,મીનાબેન તથા સામાજિક વનીકરણ રેન્જ જુનાગઢના RFO શ્રી સુત્રેજાભાઈ, ફોરેસ્ટરશ્રી દીક્ષિતભાઈ તથા શ્રી ડોડીયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

દરેક લાભાર્થીઓને જેસીઆઈ જુનાગઢ તરફથી ખાસ અપીલ કરવામાં આવેલ કે આ રોપને વાવીને તેનો જતન કરી ઉછેરશો તો જ અમારી આ મહેનત સફળ થશે અને ગ્લોબલ વોર્મિંગને કારણે આવતી મુસીબતો થી આપણે બચી શકીશું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)