ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા.

ભરૂચ

હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ખાતે ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ ભરૂચ જિલ્લા પ્રમુખ મહેન્દ્ર સિંહ વાંસદીયાની આગેવાનીમાં તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું

આ યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા , યાત્રા ઉમલ્લા ગ્રામપંચાયત થી શરૂ થઈ હતી અને ઉમલ્લા તેમજ દુ. વાઘપુરા ના મોર્ગો પર થી પસાર થઇ APMC ખાતે પહોંચી હતી જ્યાં રાષ્ટ્રગાન સાથે યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું જેમાં ઉમલ્લાની કે.આર.પટેલ વિદ્યામંદિર અને સરસ્વતી શિસુ મંદિરના વિદ્યાર્થીઓ તેમજ તમામ શાળાના શિક્ષકો અને પોલીસ જવાનો આગેવાનો યાત્રામાં જોડાયા હતા જેમાં ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા,પ્રકાશ દેસાઈ,ઉમલ્લા તેમજ દુ વાઘપુરા ના સરપંચો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહી હાથમાં તિરાંગા દેશ ભક્તિમા લીન બન્યા હતા.

અહેવાલ :- નિમેષ ગોસ્વામી (ઝઘડિયા)