
ડભોઇ શહેરમાં સનાતન સંઘર્ષ સમિતિ દ્વારા દર્ભાવતી નગરી ખાતે એક મોટી જન આક્રોશ રેલી યોજાઈ હતી. આ રેલીનું આયોજન જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંકટવાદીઓ દ્વારા પર્યટકોની નિર્મમ હત્યાની ઘટના પર પ્રતિક્રિયા દર્શાવવા માટે કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં ભારે રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં પર્યટકોની હત્યાને દેશભરમાં ઘોર નિંદા મળી હતી. એટલું જ નહીં, પરંતુ રેલીમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આતંકવાદીઓના પુત્રાનો દહન પણ કરવામાં આવ્યો.
આ રેલી ડભોઇના એપીએમસી ખાતેથી શરૂ થઈ અને ટાવર ચોક સુધી પહોંચ્યા, જ્યાં આતંકવાદીઓના પુત્રાનો દહન કરવામાં આવ્યો. ત્યારબાદ, મૃત્યુ પામેલા પર્યટકોની આત્માને શાંતિ માટે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા અને વાયદો કર્યો કે આતંકવાદીઓના પર કેસ નહીં ચાલવા દેવું અને તેમને ફાંસી પર લટકાવવું જોઈએ. આ વિવાદાસ્પદ ઘટનાનો વિરોધ કરીને અનેક લોકો પાકિસ્તાની લોકો અને આતંકવાદીઓને ધિક્કાર કરવા માટે “પાકિસ્તાન મુર્દાબાદ”ના નારા લગાવતા દેખાયા.
રિપોર્ટર: વિવેક જોષી, ડભોઇ.