ડભોઇ ખાતે શહીદ સૈનિકો માટે ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથા આયોજન, દેશભક્તિ જાગૃતિ માટે યુવાનોમાં ઉત્સાહ લાવવાના પ્રયાસ

ડભોઇ, તા. ૨૮ મે:

ભારતીય સૈનિકોની રક્ષા અને દેશની સુરક્ષા માટે શહીદ થયેલ સૈનિકોની આત્માની શાંતિ માટે ડભોઇમાં ગાયત્રી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ કથા શ્રેણી ૨૪ મે થી ૩૦ મે સુધી સાત દિવસ સુધી ચાલી રહી છે. શાંતિ કુંજ હરિદ્વારથી પ્રસિદ્ધ ડો. ચિન્મયભાઈ પંડ્યાની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ, યુવાનોમાં દેશપ્રેમ અને જાગૃતિ લાવવાના લક્ષ્યથી, રશ્મિકા બેના દ્વારા યથાર્થ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. કથાવ્યાસ પ્રજ્ઞા પુત્રી ખ્યાતિ બેન પટેલ દ્વારા શાંદાર રીતે શ્રીમદ ભાગવત કથાનું વाचन અને સમજાવટ કરવામાં આવી રહી છે.

આ કથામાં મોટી સંખ્યામાં ગાયત્રી પરિવારની બહેનો અને વિસ્તારના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કથાના મુખ્ય યજમાન વિજયભાઈ અને રેખાબેન સાથે તેમનો સુપુત્રી જલ્પા પણ ઉપસ્થિત રહ્યા. ગાયત્રી પરિવારના પરિજનો તેમજ સહયોગી દાતાઓનું પણ મહત્વપૂર્ણ સહયોગ મળ્યો છે.

આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના અત્યારે સર્જાયેલી સંકટ પર ધ્યાન દોરીને ભારતીય સૈનિકોની બલિદાનની ગાથાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને સરહદ પર સતત જાગૃતિ અને રક્ષણ કાર્ય કરતી સેનાની પ્રતિક્રિયામાં યુવાનોમાં પ્રેરણા લાવવાનો છે.

આ સાથે ૩૦ મે ના રોજ વિરાટ દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવશે, જેમાં તમામ શહીદ સૈનિકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અને આ ભાગવત કથા શ્રેણીની પૂર્ણાહુતિ થશે.

અહેવાલ: વિવેક જોષી, ડભોઇ