ડભોઇ નાંદોદી ભાગોળ સ્થિત ખોડિયાર માતાના મંદિરે આજે 15મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. રબારી સમાજ દ્વારા આયોજિત આ પવિત્ર પાટોત્સવમાં મોટી સંખ્યામાં ભાવિકો હાજર રહ્યા. ચનવાળા માનસરોવર બાપુ, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, સામાજિક આગેવાનો વિશાલભાઈ શાહ અને પરેશભાઈ રબારીએ માતાજીના આશીર્વાદ લીધા.
જયેશભાઈ રબારીએ ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા જવાનો માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી અને દરભાવતી નગરીના સુખ-સમૃદ્ધિ માટે શુભેચ્છા પાઠવી. હાજર ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો અને માતાજીની ભક્તિમાં લીન થઈ ભાવવેહી વાતાવરણ સર્જાયું.
અહેવાલ – વિવેક જોશી ડભોઇ