તાલાલા:
તાલાલા તાલુકા મામલતદાર કચેરી ખાતે કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અરજદારો પોતાના વ્યકિતગત પ્રશ્નો તથા સ્થાનિક મુદ્દાઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
અરજદારો દ્વારા રહેણાંક વિસ્તારમાં ઊભરાતા મોબાઈલ ટાવર, હિરણ-૨ ડેમ પરનો રસ્તો ખુલ્લો કરવા, જન્મ પ્રમાણપત્રમાં સુધારા, તથા ધાવા-જાંબુર રસ્તો ફરીથી જાહેર કરવા જેવા વિવિધ પ્રશ્નો રજૂ કરાયા હતાં.
કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયે દરેક અરજીને ગંભીરતાથી સાંભળી સંલગ્ન વિભાગોના અધિકારીઓને પ્રત્યક્ષ યોગ્ય કાર્યવાહી કરવા તેમજ ત્વરિત રીતે પ્રશ્નોનું નિકાલ કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી.
કલેક્ટરે સ્પષ્ટ કહ્યું કે જનહિતના પ્રશ્નોનું વહેલી તકે ઉકેલ લાવવો એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે અને તેમાં કોઇ પણ પ્રકારની ઉડાઉપણું સહન નહીં કરવામાં આવે.
આ કાર્યક્રમ દરમિયાન નાયબ કલેક્ટર-૧ એફ.જે. માંકડા, મામલતદાર સતિષ જાંબુચા, તાલુકા વિકાસ અધિકારી આર.એ. કોંઢિયા સહિતના વિવિધ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
અરજદારોના પ્રશ્નો ઝડપથી ઉકેલવા માટે તંત્ર દ્વારા નોંધપાત્ર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે જેથી લોકોના ન્યાયિક હક્કો સમયમર્યાદામાં પુરી થઇ શકે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ.