દસનામ ગોસ્વામી સમાજ ના નવા હોદેદારોની નિમણૂક કરાઈ

કેશોદ:

આજરોજ આંબાવાડી જલારામ મંદિર પાસે આવેલ કેશોદ દસનામ ગોસ્વામી સમાજમાં નવા હોદેદારો ની નિમણુંક માટેની મીટીંગ બોલાવવામાં આવી હતી જેના અનુસંધાને નવી કારોબારી સમિતી રચના તથા નવા હોદેદારોની નિમણુક સવાનુમતે કરવામાં આવેલ જેમાં મેનેજીંગ ટ્રસ્ટી તરીકે શીતલગીરી ગોસ્વામી, પ્રમુખ વિજયપરી ગોસ્વામી, ઉપપ્રમુખ અશોકનાથ નાથજી, મંત્રી હસમુખપરી ગોસ્વામી, સહમંત્રી સફરગીરી ગોસ્વામી ની સર્વનું મતે પસંદગી કરવામાં આવી હતી. સમાજદ્વરા નવી ટીમ ને શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને યુવા ટીમ દ્વારા સમાજના વિકાસ માટેના કાર્યો ખુબ સારી રીતે થાય તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી,

કેશોદ દસનામ સાધુ સમાજ ના યુવાનો પોતાની યુવા સિસ્ટમ થી સમાજ ઉપયોગી કર્યો માં ઉન્નતિ પ્રદાન કરે તેવી શુભેચ્છાઓ અપાઈ હતી…

કેશોદ દસ નામ સાધુ સમાજ ના મોભી ઓ ના માર્ગદર્શન હેઠળ ઘણાજ કાર્યક્રમો થઈ રહ્યા હોય ત્યારે તેવા સમાજ ઉપયોગી કર્યો માં યુવાનો ની ટિમ પોતાની શક્તિ નો ઉપયોગ કરી સમાજ ને ઉન્નતિ અને આવનાર દિવસોમાં સમાજ ને ટોપ લેવલ નું સ્થાન પર લઈ જાય તેવા સૌ વડીલો દ્વારા શુભાષીશ પાઠવ્યા હતા.

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)