ઉના, દેલવાડા: શ્રી ગુપ્ત પ્રયાગ તીર્થધામ, દેલવાડા ખાતે પૂ.મુક્તાનંદ બાપુના આશીર્વાદથી અને માર્ગદર્શન હેઠળ નિ:શુલ્ક ચાલતું “દાદાજી વૃધ્ધાશ્રમ” અને અન્નક્ષેત્ર કાર્યરત છે.
આ વૃધ્ધાશ્રમમાં વૃદ્ધો (સિનિયર સિટીઝન) માટે ઘર જેવી સુવિધાઓ અને આરામદાયક રહેવાની વ્યવસ્થા છે. દિનચર્યામાં સવારે અને બપોરે પોષ્ટિક નાસ્તો અને સાંજે ભોજન સાથે દૂધ પણ નિ:શુલ્ક આપવામાં આવે છે. અહીં સાત્વિક અને પોષણયુક્ત આહાર પીરસવામાં આવે છે. હાલમાં આશ્રમમાં પચાસથી વધુ વૃદ્ધો પોતાનું જીવન શાંતિ અને સન્માન સાથે વિતાવી રહ્યા છે.
આ સંકુલમાં વિશાળ ગૌશાળા, ભવ્ય મંદિર, આનંદધારા, નેસડા, શાળા અને અન્નક્ષેત્ર પણ કાર્યરત છે, જ્યાં જરૂરીયાતમંદ લોકોને આહાર અને સહાયતા મળે છે.
મુક્તાનંદ બાપુની પ્રેરણાથી આ સેવા કાર્ય ચંદુભાઈ દ્વારા સંભાળવામાં આવે છે. વધુ માહિતી માટે ચંદુભાઈ સાથે સંપર્ક કરવો હોય તો ફોન નંબર ૯૮૨૦૨ ૮૦૭૩૨ પર સંપર્ક કરી શકાય છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ