ધરમપુર પ્રાંત દ્વારા રેવન્યુ તલાટી પરીક્ષા ગ્રેડ-પે અને અભ્યાસક્રમમાં ફેરફાર માટે પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત


ધરમપુર:
રેવન્યુ તલાટી સંવર્ગની પરીક્ષા અંગે ગ્રેડ-પે અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવા માટે ધરમપુર પ્રાંત દ્વારા પ્રાંત અધિકારીને આજરોજ એક મહત્વપૂર્ણ લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆત કલ્પેશ પટેલની આગેવાની હેઠળ છેવાડાના વિદ્યાર્થીઓએ સંકલિત રીતે પ્રદાન કરી હતી.

રજુઆતમાં સ્પષ્ટ કર્યું છે કે મહેસૂલી તલાટીનો કાર્યભાર નાયબ ચીટનીશ, સર્કલ ઓફિસર જેટલી જ જવાબદારી ધરાવે છે, તેથી તેમની ગ્રેડ-પેમાં સુધારો કરવામાં આવવો જોઈએ. તેમજ હાલનું નવું અભ્યાસક્રમ જે તા. 22/05/2025ના રોજ જાહેર થયું છે, તેમાં 200 માર્ક્સની પ્રાથમિક પરીક્ષા રાખવામાં આવી છે જેમાં ગુજરાતી, અંગ્રેજી, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ, વારસો, અર્થતંત્ર અને પર્યાવરણ જેવા વિષયો સમાવિષ્ટ છે. મુખ્ય પરીક્ષામાં 350 માર્ક્સના ત્રણ પેપર રાખવામાં આવ્યા છે જેમાં અંગ્રેજી પેપર અનિવાર્ય (mandatory) બનાવવામાં આવ્યો છે.

વિદ્યાર્થીઓએ નોંધાવ્યું કે GPSCની પરીક્ષામાં અંગ્રેજી પેપર માત્ર ક્વોલિફાઇંગ છે, પણ અહીં તે મુખ્ય પેપર તરીકે રાખવું યોગ્ય નથી. આ ઉપરાંત, 1900 ગ્રેડ-પે ધરાવતા મહેસૂલી તલાટી સંવર્ગની પરીક્ષા 4400 ગ્રેડ-પે ધરાવતા નાયબ મામલતદારની પરીક્ષા જેટલી કઠણ ન હોવી જોઈએ. આ જટિલ અને લાંબા સમયની પરીક્ષા પદ્ધતિને કારણે આખા પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

રજુઆતમાં વધુ સૂચવાયું છે કે રાજ્યમાં નાયબ ચીટનીશ, મદદનીશ ઇજનેર, કેન્દ્ર સરકારની SSC CGL અને બેન્કિંગ પરીક્ષાઓ પણ હવે MCQ આધારિત લેવાઈ રહી છે, ત્યારે રેવન્યુ તલાટી જેવી વર્ગ 3ની પોસ્ટ માટે આટલી જટિલ પરીક્ષા શા માટે? તેમજ પેપર ચેકીંગમાં ન્યાયપૂર્ણ અને પારદર્શક વ્યવસ્થા હોવી જોઈએ.

છેવાડા ના વિદ્યાર્થીઓ માટે વર્ગ 3 માંથી પણ બાકાત રાખવાની રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆતમાં સૂચવાયું છે કે છેવાડામાં જ તમામ સુવિધાઓ આપવામાં આવે જેથી કેન્દ્રીય દફ્તરો દ્વારા કોઈ ષડયંત્ર ન રચાય.

વિદ્યાર્થીઓએ આ મુદ્દાઓ સાથે મુખ્ય પરીક્ષાનું ડિસ્ક્રિપ્ટીવ પેપર દૂર કરીને ઓબ્જેક્ટિવ (MCQ) આધારિત પરીક્ષા લેવાઈ તે પણ માંગ કરી છે.

આ રજૂઆત દ્વારા ધાર્મિક, તર્કસંગત અને વ્યવસ્થાપન દ્રષ્ટિકોણથી રેવન્યુ તલાટી પરીક્ષા પદ્ધતિમાં જરૂરી ફેરફારો કરવાની માગણી કરવામાં આવી છે.

સ્થળ: ધરમપુર