
કેસે ધરાવતા કોગ્રેસ પક્ષ દ્વારા સંગઠન સુજન અભિયાન 27 એપ્રિલ 2025ના રોજ ધારી પટેલવાડી ખાતે યોજવામાં આવ્યું હતું. આ અભિયાનના ભાગ રૂપે, ગુજરાત રાજયમાં નવું સંગઠન સંકલ્પો બનાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ કોંગ્રેસ પક્ષના નવા જિલ્લા, તાલુકા અને શહેરના પ્રમુખોની પસંદગી અને ધારી-ખાંભા-બગસરા વિધાનસભા ક્ષેત્રમાં અગત્યની કામગીરી કરવાનું હતો.
વિશેષ અતિથિ તરીકે રાજ્યસ્થાન પ્રદેશ ઉપપ્રમુખ જગદીશ જંગીડજી, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ડોક્ટર ઇન્દ્રવિજય ગોહિલ, અને પૂર્વ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ધારી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવિ હિરાણી, અને અન્ય સક્રિય કાર્યકરો પણ હાજર રહ્યા હતા.
સંગઠન મજબૂત બનાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી હતી અને કોંગ્રેસની રણનીતિ અનુસાર કાર્યકરોના વિચારો અને સૂચનો લેવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો આભાર રવિભાઈ હીરાની દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો, અને આ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.
રિપોર્ટ: સંજય વાળા, ધારી, અમરેલી