રાજકોટ, ધોરાજી:
ધોરાજી તાલુકાના ભૂખી ગામમાં સરપંચ પદ માટે યોજાયેલ પેટા ચૂંટણીમાં આજ રોજ મતગણતરીની પ્રક્રિયા ધોરાજી નાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે બેલેટ પેપર દ્વારા શાંતિપૂર્ણ રીતે યોજાઈ.
ભૂખી ગામના લોકોના મતદાન બાદ આજે થયેલી મતગણતરીમાં હર્દિપસિંહ રાયજાદાએ 428 મતોની ભવ્ય લીડ સાથે વિજય મેળવી ગામના નવા સરપંચ તરીકે ચૂંટાઈ આવ્યા છે.
મતગણતરી સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જેથી ચૂંટણી પ્રક્રિયા બિન વિઘ્ન સંપન્ન થઇ શકે. ધોરાજીની ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે મતગણતરી દરમ્યાન સ્થાનિક લોકો તથા ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ભૂખી ગામના લોકોના મતાદાનથી આજના પરિણામે ફરી એકવાર સ્થાનિક સ્તરે લોકશાહીનું સશક્ત ચિત્રણ જોવા મળ્યું છે.
અહેવાલ: વિમલ સીસોઢયા, ધોરાજી રાજકોટ