ગીર સોમનાથ, 3 જૂન, 2025 –
આ વર્ષે પાંચમી જૂને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી માટે કેન્દ્ર સરકાર દ્વારા ‘વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત’ થીમ નિર્ધારિત કરવામાં આવી છે. આ થિમને ધ્યાને રાખીને ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમો હેઠળ નુક્કડ નાટક, વૉકેથોન, વકૃત્વ સ્પર્ધા, સેમિનાર અને શાળા-કોલેજોમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થઈ રહ્યું છે, જેથી જાહેરમાં પ્લાસ્ટિક પ્રદૂષણને દૂર કરવા માટે લોકજાગૃતિ ફેલાવી શકાય.
તાલાલા તાલુકાના આંકોલવાડીમાં એક શાળામાં બાળકો દ્વારા ‘પ્લાસ્ટિક પ્રદૂષણ નાબૂદી’ વિષયક ચિત્રકલા દ્વારા પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા સંદેશ આપ્યો હતો, જે વિસ્તારમાં આનંદ અને ઉત્સાહ સાથે સ્વીકારવામાં આવ્યો.
આ પ્રકારના પ્રયાસો દ્વારા પર્યાવરણને સ્વચ્છ અને સલામત રાખવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવ્યા છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ