પાંડેસરા પુનીત નગરમાં પંદર વર્ષીય સાગર સહેદકેની હત્યા, પતિએ જ ચપ્પુ વડે હુમલો કર્યો


સુરત શહેરના પાંડેસરા બમરોલી ગોવાલક રોડ પર આવેલ પુનીત નગરમાં બે દિવસ પહેલાં મહારાષ્ટ્રના ધુલિયા થી સુરત રૂમ માટે આવેલ સાગર રામદાસ સહેદકાની હત્યા થઈ છે. મુર્તક સાગર બે દિવસ પહેલા પરિવાર સાથે નરેન્દ્ર ગણપત માળીના ઘરે જમ્યા બાદ સૂઈ રહ્યો હતો.

રાત્રે 1 વાગ્યાના આસપાસ, નરેન્દ્ર માલીએ સાગર પર ચપ્પુ વડે અચાનક હુમલો કર્યો હતો. આ ઘટના અંગે જાણ થતાં પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકો દ્વારા 108 એમ્બ્યુલન્સને કોલ કરીને સાગરને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ, સારવાર દરમ્યાન સાગરનું મોત નિપજ્યું હતું. આ મામલે પાંડેસરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાના પૃષ્ઠભૂમિમાં પતિ-પત્ની વચ્ચેના વધતા ઝઘડાના સંદર્ભો સામે આવ્યા છે.

હત્યારાની પત્ની વંદના નરેન્દ્ર માલી વિરુદ્ધ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ ઘટનાએ સમગ્ર પાંડેસરા વિસ્તારમાં શોક અને ચકચાર ફેલાવી દીધી છે, અને પોલીસે અન્ય વિગતો માટે તપાસ ચાલુ રાખી છે.