સુરત, તા.૦૨ જૂન:
પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમે શહેરમાં દેહવ્યાપાર ચલાવનારા રેકેટ સામે મોટું કાર્યવાહી કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે પાંડેસરા વિસ્તારમાં આવેલા વડોદગામ આવાસના બિલ્ડિંગ નંબર ૭૫ ના રૂમ નં. ૧૧, ૧૨ અને ૧૩ માં દેહવ્યાપાર ચાલી રહ્યો હતો, જ્યાં મહીલાઓને આર્થિક લાલચ આપી શરીરસુખ માટે બોલાવતી અને ગ્રાહકો પાસે પૈસા લઈને દેહવ્યાપાર કરાવાતો હતો.
પોલીસે સ્થળ પરથી દેહવ્યાપાર ચલાવનારા બે આરોપી તથા ગ્રાહક તરીકે હાજર છ લોકોને ઝડપી પાડ્યા છે, જયારે ચાર આરોપીઓ ફરાર હાલતમાં છે, જેને વોન્ટેડ જાહેર કરાયા છે.
પકડાયેલા મુખ્ય આરોપીઓ:
- સંતોષકુમાર ઉર્ફે રાહુલ ગોલખ પાલ (ઉ.વ. ૩૮) – રહે: ભેસ્તાન, સુરત
- મન્નુ સાંઘલ (ઉ.વ. ૩૦) – રહે: વડોદ આવાસ, પાંડેસરા (મૂળ વતન: પાટના, બિહાર)
આ બંને આરોપીઓની સાથે મળીને દેહવ્યાપાર માટે બહારગામથી મહિલાઓ બોલાવાતી હતી અને તેમનો જાતીય શોષણ થતો હતો.
ગ્રાહક તરીકે પકડાયેલા આરોપીઓ:
- રાંજનકુમાર રમેશ બૈઠા (ઉ.વ. ૨૭) – લક્ષ્મીનગર, વડોદગામ
- જયભગવાનસિંહ યાદવ (ઉ.વ. ૩૪) – વડોદ એસએમસી આવાસ
- બસંત કાપર (નેપાળી, ઉ.વ. ૨૧) – પલસાણા ચોકડી
- સહકલ એહમદ કાસીમ સાફી (નેપાળી, ઉ.વ. ૧૯) – પલસાણા ચોકડી
- કમલજીત દેવન માંડલ (ઉ.વ. ૩૦) – પાંડેસરા જી.આઇ.ડી.સી
- બલરામ તિવારી (ઉ.વ. ૪૮) – કમલા ચોક, વડોદ પાંડેસરા
ફરાર આરોપીઓ (વોન્સટેડ):
- રાજ માલીયા
- મહેશ જૈન
- બાબા માલીયા
- વિરકમ (અસલી નામ અજાણ)
ફરીયાદ મુજબ નોંધાયેલા ગુના:
પાંડેસરા પોલીસ સ્ટેશન “બી” પાટ્યે ગુનો નં. 11210045252308/2025 હેઠળ IPC 144(2) તથા ઇમોરલ ટ્રાફિક પ્રીવેન્શન એક્ટ, 1956 ની કલમ 3, 4, 5 અને 7 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
અભિયાનની સફળતા પાછળ રહેલા અધિકારીઓ અને સ્ટાફ:
- પાંડેસરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એમ. ગઢવી
- પી.આઇ. શ્રી આઇ.એમ. હુદડ
- થડય પી.આઇ. શ્રી એસ.જી. ચાવડા
- પો.સ.ઇ. શ્રી કે.જે. વસાવા
- એએસઆઇ રાજુભાઈ દેવાભાઈ
- તેમજ અન્ય હોમગાર્ડ અને પોલિસ સ્ટાફે શાનદાર કામગીરી કરી
પોલીસના સૂત્રો મુજબ, દેહવ્યાપાર ચલાવાતી જગ્યા પરથી નગદ રકમ, મોબાઈલ ફોન અને અન્ય દસ્તાવેજો પણ કબજે કરાયા છે. સમગ્ર કૃત્યમાં સંડોવાયેલા તમામ આરોપીઓને કાયદેસરની કાર્યવાહી અંતર્ગત કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને ફરાર આરોપીઓની ધરપકડ માટે તપાસ ચાલી રહી છે.