પાલ શહેરમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક પતિએ પોતાની જ પત્ની અને તેના પ્રેમી દ્વારા મળીને આપેલા ત્રાસથી કંટાળી આપઘાત કરી લીધો હતો. મળતી માહિતી અનુસાર, 35 વર્ષીય દીક્ષિત ચૌહાણને પોતાની પત્ની દિવ્યા અને તેના પ્રેમી કેવિન દ્વારા સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. દીક્ષિત તેમના ત્રાસથી એટલા કંટાળી ગયા હતા કે અંતે જીવન ટુંકાવવાનો પગલુ ભર્યું હતું.
આ મામલે દીક્ષિતની બહેને પોલીસમાં ફરીયાદ નોંધાવતા, પાલ પોલીસે તરત કાર્યવાહી કરતા મૃતકની પત્ની દિવ્યા અને તેના પ્રેમી કેવિનની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં બંનેના સંબંધો તેમજ બંનેનો માથાભારે સ્વભાવ હોવાના ઘણા પુરાવા મળ્યા છે.
પાલ પોલીસે બંનેની ધરપકડ કરીને આ કેસમાં વધુ વિસ્તૃત તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટના સ્થાનિકોમાં ભારે ચકચારનો વિષય બની છે.
👉 ફિલ્હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
અહેવાલ :- બ્યુરો રિપોર્ટ