પોરબંદરની મણીબેન રાણાનું માનવતાનું અનમોલ દાન : ૧૨ લાખ રૂપિયાનું સોલાર પેનલ માટે દાન

જૂનાગઢ, તા. ૨૭ મે:
પોરબંદરના ભેળ-રગડાની લારી ચલાવતો મોહનલાલ રાણા ના અવસાન બાદ તેમના પત્ની મણીબેન રાણા એકલા રહે છે. હાલતી પરિસ્થિતિ વચ્ચે પતંગ બનાવવાના અને કેટરિંગના કામથી જીવન જીવતી આ દાદીમાએ સમાજ માટે એવો ઉદાર દાન કર્યું કે જેમાં સૌને માનવતાનો પાઠ મળે.

પોરબંદરના વિદ્યુત સ્મશાનગૃહ માટે સોલાર પેનલ લગાવવા માટે આશરે ૧૨ લાખ રૂપિયાની જરૂરિયાત હતી. આ વાત મણીબેનને જાણવા મળતાં તેમણે પોતાના જીવનના બધી બચતમાંથી રૂ. ૧૨ લાખ સોલાર પેનલ માટે દાનમાં આપવા નક્કી કર્યું. આ રકમ તેમના પુત્રીના અવસાન પછી બેંકમાં રાખેલા ફિક્સ ડિપોઝિટમાંથી હતી.

જ્યારે તેમને સન્માન કરવાની વાત આવી ત્યારે મણીબેનએ કહ્યું,
“મારા માટે થોડા પૈસા મારા જીવતર માટે છે, સન્માન નથી જોઈએ, મારે માત્ર માણસ તરીકેની ફરજ નિભાવવી છે.”

૭૭ વર્ષની ઉંમરે જીવનની નાની નોકરીઓ કરતું આ માનવીય દાન સમાજ માટે પ્રેરણારૂપ છે. મણીબેનની આ માનવતાભર્યુ દાન દરેક માટે એક પ્રેરણા છે કે સાચું યોગદાન સમાજ માટે કરવામાં આવે તો જ સત્ય સંતોષ મળે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ