પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા ૧૦ મેના રોજ જૂનાગઢ જિલ્લા પ્રવાસે

જૂનાગઢ, તા. ૯ મે |

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ

ગુજરાત રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઈ બેરા તા. ૧૦ મે, ૨૦૨૫ના રોજ જૂનાગઢ જિલ્લાના સાસણ ગીર ખાતે પ્રવાસે આવશે.

પ્રમુખ કાર્યક્રમ:

  • ફ્લેગ ઑફ કાર્યક્રમ
  • પ્રસંગ: સિંહ વસ્તી ગણતરી – ૨૦૨૫
  • સ્થળ: સિંહ સદન, સાસણ ગીર
  • સમય: બપોરે ૧:૦૦ વાગ્યે

મંત્રીએ સિંહ વસાહતના સંરક્ષણ અને સંભાળના ભાગરૂપે આયોજિત ગણતરી કાર્યક્રમમાં હાજરી આપી ગિરના જંગલના પર્યાવરણ અને વન્યજીવન રક્ષણના કાર્યમાં સહભાગી થનાર અધિકારીઓ અને સંસ્થાઓનું ઉત્સાહવર્ધન કરશે.