પ્રેમ કરનાર ધનંજયે જીજાજી પ્રમોદને પાડી દીધી જાનથી!

સુરતના કાપોદ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં પ્રેમપ્રકરણના કારણે યુવતીના ભાઈએ પોતાના જીજાજીનું અપહરણ કરી ઘાતકી હત્યા કરી નાખી હતી.

8 એપ્રિલના રોજ સાંજના છ વાગ્યા બાદ પ્રમોદ ચૌધરી ગાયબ થઈ ગયા હતા. તેમના ગાયબ થયા અંગે પત્ની આરતી દેવી દેવીએ 9 એપ્રિલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવી.

14 એપ્રિલે પોલીસે બાતમીના આધારે જાણવા મળ્યું કે, યુવતીના ભાઈ નિતેશે પોતાનું ગુસ્સો જીજાજી પ્રમોદ પર કાઢ્યો હતો, કારણ કે પ્રમોદનો સાળો ધનંજય યુવતીને ભગાડી લઈ ગયો હતો.

આ ઘટનામાં નિતેશે તેના મિત્ર દીક્ષિત મકવાણા, મોહિત પરવડીયા, કપિલ, જય અને બાવાની મદદથી પ્રથમ પ્રમોદનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી હતી.

પ્રમોદની લાશ પિપોદરા કેનાલમાં ફેંકી દેવાઈ હતી, જે બાદમાં ઓલપાડના કારેલી ગામ પાસેની કેનાલમાંથી મળી આવી. 9 એપ્રિલના રોજ જ પ્રમોદની હત્યા થઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

પોલીસે દીક્ષિતને પાલીતાણા (ભાવનગર)થી પકડ્યો હતો અને પૂછપરછમાં તેણે આખી ઘટનાની કબુલાત આપી હતી. હત્યાની પાછળ પ્રેમપ્રકરણમાં બનેલી કટ્ટાશ નો મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.